'PM નરેન્દ્ર મોદી' ફિલ્મને આખરે મળી લીલી ઝંડી, 11 એપ્રિલે થશે રિલીઝ

વિરોધ પક્ષોએ ઉમંગકુમાર દિગ્દર્શિત ફિલ્મની ટીકા કરકી છે, તેમનો દાવો છે કે આ ફિલ્મનું ચૂંટણી દરમિયાન પ્રદર્શન થવાને કારણે ભાજપને ફાયદો થઈ શકે છે 

'PM નરેન્દ્ર મોદી' ફિલ્મને આખરે મળી લીલી ઝંડી, 11 એપ્રિલે થશે રિલીઝ

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ હવે 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મની રિલીઝ તારીખ ટાળી દીધી છે. સેન્સર બોર્ડે એવું જણાવ્યું હતું કે આ ફિલ્મ અત્યારે ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. 

જોકે, ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે શુક્રવારે ટ્વીટર પર આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, "ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' આધિકારિક રીતે 11 એપ્રિલ, 2019ના રોજ રિલીઝ થશે."

વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં
આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિરોધ પક્ષોએ ઉમંગકુમાર દિગ્દર્શિત ફિલ્મની ટીકા કરકી છે, તેમનો દાવો છે કે આ ફિલ્મનું ચૂંટણી દરમિયાન પ્રદર્શન થવાને કારણે ભાજપને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થવાનું છે. અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ થશે. 

ટ્રેલર થયું વાયરલ
આ ફિલ્મ ટ્રેલર રીલિઝ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. આ ફિલ્મમાં મનોજ જોશી અમિત શાહની ભૂમિકામાં છે. સાથે જ દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રસાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત. આર. સલૂજા મુખ્ય ભૂમિકાઓમાં છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ આ ફિલ્મના નિર્માતાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news