જીવલેણ કોરોના વાયરસ અંગે WHOએ વ્યક્ત કરી મોટી આશંકા, જાણો શું કહ્યું?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વરિષ્ઠ અધિકારી માઈકલ જે રાયને બુધવારે કહ્યું કે કોરોના દુનિયામાં એવા વાયરસોની જેમ રહી શકે છે જે ક્યારેય જશે નહીં. જેમ કે એચઆઈવી. ડબલ્યુએચઓ હેલ્થ ઈમર્જન્સીસ પ્રોગ્રામ (WHO health emergencies program)ના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર ડો.રાયન કહે છે કે તે આપણા સમુદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે. બની શકે કે ક્યારેય ન જાય. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે એચઆઈવી પણ ક્યારેય ગયો નથી. 
જીવલેણ કોરોના વાયરસ અંગે WHOએ વ્યક્ત કરી મોટી આશંકા, જાણો શું કહ્યું?

સ્વિટ્ઝરલેન્ડ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વરિષ્ઠ અધિકારી માઈકલ જે રાયને બુધવારે કહ્યું કે કોરોના દુનિયામાં એવા વાયરસોની જેમ રહી શકે છે જે ક્યારેય જશે નહીં. જેમ કે એચઆઈવી. ડબલ્યુએચઓ હેલ્થ ઈમર્જન્સીસ પ્રોગ્રામ (WHO health emergencies program)ના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર ડો.રાયન કહે છે કે તે આપણા સમુદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે. બની શકે કે ક્યારેય ન જાય. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે એચઆઈવી પણ ક્યારેય ગયો નથી. 

રાયને કહ્યું કે જે રીતે એચઆઈવી ક્યારેય ખતમ થઈ કહ્યો નહીં એ જ રીતે કોરોના વાયરસ પણ આપણી વચ્ચે રહી શકે છે. રાયને કહ્યું કે જો કે આપણે એવા તરીકા શોધી કાઢ્યા છે કે એચઆઈવીથી પીડિત લોકો પણ વધુ દિવસો સુધી સ્વસ્થ અને જીવિત રહી શકે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને લઈને આપણે યથાર્થવાદી થવું પડશે. કારણ કે આપણને ખબર નથી કે આ બીમારી ક્યારે જશે. 

તેમણે કહ્યું કે જો આપણે કોરોના વાયરસની કોઈ કારગર વિક્સિન શોધી પણ કાઢીએ તો દુનિયામાં દરેક વ્યક્તિને મળી શકે તેવી જરૂર છે. શક્ય છે ત્યારે જ આ બીમારી ખતમ થઈ શકે. જો કે આ વેક્સિન ક્યારે અને કેવી રીતે મળશે તે અંગે તેમણે કશું જણાવ્યું નહીં. આ અગાઉ પણ WHO એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યું છે કે આવનારા દિવસોમાં કોરોના મહામારીનો ખાતમો થાય તે નજરે પડતું નથી. 

જુઓ LIVE TV

ડો.ડેવિડ નેબોરેએ પણ કરી હતી આ વાત
આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં કોવિડ 19ના વિશેષ દૂત ડો.ડેવિડ નેબોરોએ પણ કહ્યું હતું કે સૌથી ખરાબ સ્થિતિ એ હોઈ શકે છે કે ક્યારેય કોઈ વેક્સિન જ ન હોય. તેમણે કહ્યું કે લોકોની આશાઓ વધી રહી છે અને પછી ખતમ થઈ રહી છે કારણ કે અંતિમ મુશ્કેલીઓ પહેલા જ અનેક સમાધાન નિષ્ફળ જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે ચાર દાયકાથી એચઆઈવીથી અત્યાર સુધીમાં 3.2 કરોડ લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ દુનિયા તેની વેક્સિન શોધી શકી નથી. જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો તે દર વર્ષે ચાર લાખ લોકોને પ્રભાવિત કરે છે. જ્યારે કેટલાક દેશોમાં 9થી 45 વર્ષના લોકો માટે ડેન્ગ્યુની રસી ઉપલબ્ધ છે. 

અમેરિકામાં 24 કલાકમાં 1813 લોકોના મોત
આ બાજુ અમેરિકામાં કોરોના વાયરસ ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1813 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ જોન્સ હોકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ અહીં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 84,059 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં આ સંક્રમણથી 78000 લોકો સંક્રમિત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news