વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા

વડોદરામાંથી સતત રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ વડોદરામાં એકસાથે 45 દર્દીઓ રિકવર થયાના સમાચાર આવ્યા હતા. જેના બાદ બીજા વધુ એક રાહતના સમાચાર મળ્યા છે. કોરોના સંક્રમિત તબીબ સહિત ચાર દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ડો.ફેઝાન કુરેશી સહિત ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પાણીગેટની નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.ફેઝાન કુરેશીને ચેપ લાગ્યો હતો. ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડો.ફેઝાને વડોદરાના આરોગ્ય તંત્રના વખાણ કર્યા હતા. વડોદરામાં કોરોનાથી અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા છે. 
વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાંથી સતત રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ વડોદરામાં એકસાથે 45 દર્દીઓ રિકવર થયાના સમાચાર આવ્યા હતા. જેના બાદ બીજા વધુ એક રાહતના સમાચાર મળ્યા છે. કોરોના સંક્રમિત તબીબ સહિત ચાર દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ડો.ફેઝાન કુરેશી સહિત ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પાણીગેટની નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.ફેઝાન કુરેશીને ચેપ લાગ્યો હતો. ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડો.ફેઝાને વડોદરાના આરોગ્ય તંત્રના વખાણ કર્યા હતા. વડોદરામાં કોરોનાથી અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા છે. 

વાત કરીએ રામાયણના એ કિસ્સાની, જેના પરથી ક્યારેય પડદો ઉંચકાયો નહિ 

તો બીજી તરફ, વડોદરામાંથી કોરોનાના શંકસ્પદના વધુ 68 લોકો મળ્યા  છે. રેડ ઝોનમાંથી 50 શંકાસ્પદ દર્દી તથા ઓરેન્જ અને યલો ઝોનમાંથી 9 શંકાસ્પદ દર્દી મળ્યા છે. તંત્ર દ્વારા કુલ 34590 ઘરોનો ડોટ ટુ ડોર સર્વે કરાયો હતા. જેમાંથી 68 શંકાસ્પદના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

વડોદરામાં આજથી રમઝાન માસની શરૂઆત થઈ રહી છે. વડોદરા પોલીસ આજથી શહેરની 170 મસ્જિદો ફરતે પેટ્રોલિંગ કરશે. ત્યારે ખાણીપીણીની લારીઓ ખોલવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજ્યમંત્રી યોગેશ પટેલે પોલીસ કમિશનર સાથે મળીને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. મૌલાના મસ્જિદના લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ  કરશે કે, ઘરે રહીને જ નમાજ અદા કરો. 

કોરોના વાયરસને લઈને શહેર પોલીસ કમિશનર વધુ કડક થયા છે. લોકડાઉન ભંગ કરનાર સામે આજથી કડકાઈથી અમલ કરવાની અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. તંત્ર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પાસ પરમિટ વગર બિનજરૂરી નીકળશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. રમજાન માસ દરમિયાન ખાણીપીણીની લારીઓ ખૂલશે નહિ કે દુકાન ઉપર ભેગા થશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરો પોતાના ઘરમાં રહી નમાજ, ઇમાદત, ઈફતાર અદા કરે તેવી કરવામાં અપીલ કરવામાં આવી છે.

વડોદરામાં નિવૃત્ત પોલીસ જવાનોને ફરી ફરજ પર લેવાયા છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા ફરી અધિકારીઓને નોકરી પર લેવાયા છે. ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે 24 નિવૃત્ત પોલીસ કર્મીઓને ફરી લેવાયા છે. વડોદરા પોલીસ કમિશનરે ફરજ પર હાજર થયેલ નિવૃત્ત પોલીસ કર્મીઓને આવકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news