15 વર્ષની પ્રેમિકા અને 19 વર્ષનો પ્રેમી, ચીકુવાડીમાં જઈને બંનેએ કર્યું એવું કામ કે...

15 વર્ષની પ્રેમિકા અને 19 વર્ષનો પ્રેમી, ચીકુવાડીમાં જઈને બંનેએ કર્યું એવું કામ કે...
  • પ્રેમ સંબંધમાં નાસીપાસ થઈ ગયેલા બંને ડિંડોલીના એકલેરા ગામડામાં આવેલ ચીકુવાડીમાં જઈ આપઘાત (suicide) કરી લીધો હતો.
  • મંગળવારના રોજ તેજસ પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈ ફરવા જવાનું કહી નીકળ્યો હતો

ચેતન પટેલ/સુરત :સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમીપંખીડાએ નાસીપાસ થઈ જઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રેમી પંખીડાએ પોતાના જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમ સંબંધમાં નાસીપાસ થઈ ગયેલા બંને ડિંડોલીના એકલેરા ગામડામાં આવેલ ચીકુવાડીમાં જઈ આપઘાત (suicide) કરી લીધો હતો. ઘટના અંગે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલીના સનીયા ગામથી ઈકલેરા ગામ તરફ આવેલ ચીકુવાડીમાં બે પ્રેમી-પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર, ડીંડોલીના સનીયા ગામમાં રહેતો 19 વર્ષીય તેજસભાઈ રાઠોડ અને સચિન પોલીસ મથકની હદમાં રહેતી 15 વર્ષની સગીર વયની કિશોરી વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. 

બંને પ્રેમી-પંખીડાઓ એક દિવસ અગાઉ પોત-પોતાના ઘરેથી બપોરના સમય દરમ્યાન નીકળી ગયા હતા. જે બાદ બીજા દિવસે સાંજના સમય ડીંડોલીના સનીયાથી ઈકલેરા ગામ તરફ આવેલ નહેરની બાજુમાં આવેલી ચીકુવાડીમાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે ડીંડોલી પોલીસ મથકના પીઆઇ એચ.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, કિશોરીની ઉંમર 15 વર્ષની હતી અને તેની સચિન વિસ્તારમાં રહેતી હતી. તેજસ સનીયા ગામનો જ રહેવાસી છે, જ્યાં કિશોરી અને તેના વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો.  પ્રેમ સંબંધમાં નાસીપાસ થઈ જવાના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. જોકે બંનેના પ્રેમ સંબંધ અંગે પરિવારજનો અજાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

પ્રેમી-પંખીડાના આપઘાતના પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે મૃતક યુવકના પિતા સુરેશ રાઠોડે જણાવ્યું હતું કે, મંગળવારના રોજ તેજસ પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈ ફરવા જવાનું કહી નીકળ્યો હતો. જ્યાં બાદ બુધવારના રોજ પુત્રના મોતના સમાચાર મળ્યા. તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, કોઈક યુવતીને તે પ્રેમ કરે છે. જોકે અમને આ બાબતની જાણ નહોતી.

હાલ ડીંડોલી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ બંનેના પરિવારજનોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news