Independence Day પર પીએમ મોદીનો હુંકાર, હવે ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધવું છે 

ભારત દેશ પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day)  ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે 

Independence Day પર પીએમ મોદીનો હુંકાર, હવે ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધવું છે 

ઝી મીડિયા/બ્યૂરો :ભારત દેશ પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day)  ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે. તેમજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત પણ કર્યુંહતું. તેઓએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેઓએ દેશવાસીઓને સંબોધનમાં મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લ્ડનો સંકલ્પ આપ્યો હતો. સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને અનેક સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ્સ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ વખતે લાલ કિલ્લા પર મહેમાનોની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મહેમાનોને લાલ કિલ્લા ખાતે અલગ અલગ બેસાડવામાં આવ્યા હતા. લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રી આજે નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 

લાલ કિલ્લા પરથી નવી યોજનાની જાહેરાત 
તેઓએ કહ્યું કે, કોરોનાકાળમાં પણ અનેક આપત્તિઓ આવી, પણ દેશવાસીઓએ પોતાનો વિશ્વાસ ન ગુમાવ્યો. દેશની અર્થવ્યવસ્થાને કોરોના પ્રભાવથી જલ્દી બહાર કાઢવું આપણી પ્રાથમિકતા છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટમાં 110 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે. તે માટે અલગ અલગ સેક્ટરમાં લગભગ 7 હજાર પ્રોજેક્ટની ઓળખ કરાઈ છે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળશે. નવી સદી માટે હવે આગળ વધવુ પડશે. આ સાથે સમુદ્રી તટના સમગ્ર હિસ્સામાં ફોર લેન રોડ બનાવવાની દિશામાં કામ કરીશું.  

PM મોદીનું રાષ્ટ્રને સંબોધન 

  • રાષ્ટ્રને સંબોધનમાં તેઓએ જણાવ્યું કે, આપણા જવાનો દરેક કોઈ મા ભારતીની રક્ષા અને સામાન્ય માનવીની સુરક્ષામાં જોડાયેલા રહે છે. આજે એ સૌને આદરપૂર્વક સ્મરણ કરવા, તેમના મહાન ત્યાગ તપસ્યાને નમન કરવાનું પર્વ છે. નાના બાળકો મને નજર નથી આવી રહ્યા. કોરોનાએ તમામને રોકી રાખ્યા છે. રોનાકાળમાં કોરોના વોરિયર્સે આટલા લાંબા સમય સુધી સેવા પરમોધર્મના મંત્રને જીવને બતાવ્યું છે, ભારતીયોની સેવા કરી છે. આ તમામને હું આજે નમન કરું છું. કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના માટે સંવેદન પ્રકટ કરું છું. મને વિશ્વાસ છે કે, ગત દિવસોમાં પણ આપણે એક રીતે અનેક સંકટોમાઁથી પસાર થઈ રહ્યાં છે. પૂરનો પ્રકોપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્ય સરકારો સાથે ખભો મીળાવીને મળીને તત્કાલ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. એકસાથે કામ કરીશું. 
  • તેઓએ જણાવ્યું કે, આઝાદીનું પર્વ આપણા માટે આઝાદીના વીરોને યાદ કરીને નવા સંકલ્પોના ઉર્જાનો અવસર હોય છે. તે નવી પ્રેરણા લઈને આવે છે. નવી ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આ વર્ષે આપણા માટે સંકલ્પ કરવું જરૂરી છે. આપણા પૂર્વજોએ ત્યાગ આપીને આપણને જે રીતે આઝાદી અપાવી છે તે રીતે ન્યોછાવર કર્યાં છે. ગુલામીના કાળખંડમાં કોઈ ક્ષેત્ર અને પળ એવુ ન હતું, જેમાં આઝાદીની ઈચ્છાને લઈને કોઈએને કોઈ પ્રયાસ ન કર્યા હોય, પ્રયાસ ન કર્યા હોય. વીરોને નમન કરું છું. પૂજ્ય બાપુના નેતૃત્વમાં આઝાદીના આંદોલનને નવી ઉર્જા મળી. 
  • સંબોધનમાં આત્મનિર્ભર ભારત વિશે તેમણે કહ્યું કે, ભારતે પોતાની આઝાદીની લડાઈને ક્યારેય ન છોડી. બલિદાન કરવાની જરૂર પડી, કષ્ટ આપવાની જરૂર પડી, જનઆંદોલન ઉભું કરવાની જરૂર પડી ત્યાં બધુ જ કર્યું. આઝાદી માટે માહોલ બનાવ્યો. ભારતની એક શક્તિથી દુનિયામાં બદલાવ આવ્યો. દેશવાસીઓ, આઝાદીની લડાઈમાં સમગ્ર વિશ્વમાં ભારતે એકજૂટતાની તાકાત, સામૂહિકતાની તાકાત, સંકલ્પ સમર્પણ અને પ્રેરણાને લઈને દેશ આગળ વધતો ગયો. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ લીધ કે, આત્મનિર્ભર બનીશું. આત્મનિર્ભર ભારત હિન્દુસ્તાનમાં છવાયેલું છે. આ સપનું સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયું છે. ભારત આ સપનાના ચરીતાર્થ કરતું રહેશે. મને દેશના યુવા, મહિલા, અપ્રતિમ સામ્યર્થમાં મારો ભરોસો છે. ઈતિહાસ ગવાહ છેકે, ભારત નક્કી કરે છે તો કરીને રહે છે. આત્મનિર્ભર ભારત માટે દુનિયાને ઉત્સુકતા અને અપેક્ષા પણ છે. તેને પૂરી કરવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવું આવશ્યક છે. ભારત યુવા શક્તિથી ભરેલો દેશ છે. આત્મનિર્ભર ભારત વિકાસને નવી ઉર્જા આપશે. ભારત વિશ્વ એક પરિવારના સંસ્કારોથી આગળ વધ્યું છે. આપણા માટે વિશ્વ એક પરિવાર છે. તેથી આર્થિક વિકાસ પણ હોય, પણ સાથે સાથે માનવ અને માનવતાનું કેન્દ્ર સ્થાન પણ હોવું જોઈએ. આજે દુનિયા ઈન્ટર કનેક્ટેડ અને ઈન્ટર ડિપેન્ડન્ટ છે. તેથી સમયની માંગ છે કે, અર્થતંત્રમાં ભારતનું યોગદાન વધે. જગકલ્યાણ માટે આપણે પોતાની જાતને સામ્યર્થવાન બનાવવું પડશે. આપણું પોતાનું સામ્યર્થ મજબૂત હશે, તો દુનિયાનું કલ્યાણ કરવા સક્ષમ થયું. 
  • વેલ્યૂ એડિશનની દિશામાં આગળ વધવુ જોઈએ. એક સમય હતો જ્યારે આપણે બહારથી ઘઉં મંગાવતા હતા. પણ દેશના ખેડૂતોએ કમાલ કરી. આજે ભારત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું છે. આજે ભારત દુનિયામાં જ્યા જરૂર છે ત્યાં અન્ન પહોંચાડે. આ આત્મનિર્ભરની તાકાત છે. આજે દેશ અનેક નવા પગલા લઈ રહ્યું છે. જરૂરી છે કે, આપણે ભારતમાં બનેલ સામાનની સમગ્ર દુનિયામાં વાહવાહી કરાવીએ. એક સમયે દેશમાં જે કામ થતું હતું તે દુનિયામાં પોપ્યુલર હતી તેનો પણ એક ઈતિહાસ છે. ચીજો બહારથી આવે તો આપણું સામ્યર્થ નષ્ટ થાય છે. તેથી આપણી ક્રિએટિવિટીની વધારવાની છે. તેને લઈને આગળ વધવાનું છે. સ્કીલની દિશામાં આગળ વધવાનું છે. 
  • તેમણે કહ્યું કે, દેશની સામે લાખો ચેલેન્જિસ છે. તો દેશની સામે કરોડો સમાધાન આપનાર શક્તિ પણ છે. હવે જુઓ, કોરોના સંકટકાળમાં અનેક ચીજો માટે આપણે તકલીફોમાં છે. પણ દેશના નવયુવાનો અને ઉદ્યમીઓએ બીડુ ઉપાડ્યું. દેશમાં એન 95, પીપીઈ કીટ અને વેન્ટીલેટર બનવા લાગ્યા. આત્મનિર્ભર ભારત કેવી રીતે બનશે તે આપણે જોઈ લીધું. વોકલ ફોર લોકલને જીવનમંત્ર બનાવીએ. ભારતની તાકાતને પ્રોત્સાહન આપીએ. કોણ વિચારી શક્તુ હતું કે, ગરીબો અને ખેડૂતોને રૂપિયા મળશે. કોણ વિચારતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર દેશના યુવા માટે ખુલ્લુ મૂકી દેવાશે. આજે શિક્ષા નીતિ, વન નેશન ટેક્સ, વન રાશન કાર્ડની વાત હોય તો કે પછી બેંકનો મર્જરનો પ્રયાસ હોય, એ બધુ જ શક્ય બન્યું છે. ભારતમાં પરિવર્તનના સમયને દુનિયા જોઈ રહી છે. એફડીઆઈએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. એફડીઆઈમાં 18 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. ભારતે પોતાની નીતિ અને લોકતંત્ર અને અર્થવ્યવસ્થાના પાયાની મજબૂતી પર જે કામ કર્યું છે તેનાથી દુનિયાનો વિશ્વાસ વધ્યો છે. હવે મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લડના મંત્ર સાથે આગળ વધવાનું છે. 
  • તેઓએ વધુમાં કહ્યું કે, વોકલ ફોર લોકને બળ આપીને આપણે આપણા દેશને એમ્પાવર કરવા માટે કામ કરી રહ્યાં છીએ. ગામથી લોકો શહેરમાં આવી રહ્યાં છે. બેંકોમાંથી તેઓને રૂપિયા આપવાની યોજના ચાલી રહી છે. લાખો લોકોએ કોરોનામાં તેનો ફાયદો ઉઠાવ્યો છે. 110 જિલ્લા ઓળખ્યા છે, જે એવરેજ કરતા પાછળ છે, ત્યાંનું જીવન ઉંચુ લાવવામાં આવશે. જે લોકો વિકાસયાત્રામાં પાછળ છૂટી ગયા છે તેઓને આગળ લાવવાનો પ્રયાસ કરાશે. આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતને ક્યારેય નજરઅંદાજ નહિ કરી શકાય. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કરાયું. દેશનો ખેડૂત ન તો પોતાની મરજીથી પાક વેચી શક્તો હતો, તે તમામ બંધનોને અમે નષ્ટ કર્યાં છે. હવે હિન્દુસ્તાનનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં સામાન વેચી શકશે. આજે સમયની માંગ છે કે, કૃષિ ક્ષેત્ર આગળ વધે, મૂલ્ય વૃદ્ધિ બને, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગની વ્યવસ્થા બને. ગત દિવસોમાં 1 લાખ કરોડ એગ્રિકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફાળવાયા છે. આજે ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત કરવાની જરૂર છે, જે માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ખેડૂતો માટે સંઘ બનાવવાનો પ્રયાસ કર્યો છે, તે ઈકોનોમિકલ એમ્પાવરમેન્ટનું કામ કરશે. જનજીવન મિશનને આજે એક વર્ષ થયું છે. આજે મને સંતોષ છે કે પ્રિતદિન આપણે એક લાખથી વધુ ઘરમાં પાઈપથી જળ પહોંચાડી રહ્યાં છે. એક વર્ષમાં 2 કરોડ પરિવારોને જળ પહોંચાડી શક્યા છીએ. 
  • અમે નક્કી કર્યું છે કે, 6 લાખથી વધુ ગામામં ઓપ્ટીકલ ફાયીબર નેટવર્ક પહોંચાડવામાં આવશે. 1000 દિવસોમાં આ કામ પૂરુ કરી દેવામાં આવશે. બદલતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ પર આપણી નિર્ભરતા વધતી જઈ રહી છે. તેથી તેમાં ખતરો પણ જોડાયેલો છે. આ માટે ભારત સતર્ક છે. ઓછા સમયમાં નવી સાયબર સુરક્ષા રણનીતિ દેશની સામે મૂકાશે. આગામી સમયમાં તમામ સંસ્થાઓને જોડીને આગળ વધીશું. ભારતમાં મહિલા શક્તિ માટે દેશ પ્રતિબદ્ધ છે. મહિલાઓ ભારતમાં અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણમાં કામ કરી રહી છે. નૌ સેના અને વાયુસેનામાં મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે. 
  • પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી અપાશે. તે સ્વાસ્ખથ્ય ખાતા તરીકે કામકરશે. તમારો દરેક ટેસ્ટ, દરેક બીમારી, ક્યારે કઈ દવા લીધી હતી, તમારો રિપોર્ટ તમામ માહિતી આ આઈડીમાં સામેલ કરાશે. નેશનલ ડિજીટલ હેલ્થના માધ્યમથી હોસ્પિટલમાંથી દરેક તકલીફોમાઁથી મુક્તિ મળશે. જ્યારે પણ કોરોનાની વાત આવે છે ત્યારે દરેકના મનમાં સવાલ છે કે, કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે. દેશની લેબમાં આકરી મહેનતથી કામ ચાલી રહ્યું છે. ભારતમાં ત્રણ વેક્સીન ટેસ્ટીંગના અલગ અલગ ચરણમાં છે. લીલી ઝંડી મળશે તો મોટાપાયે પ્રોડક્શન કરીશુ. વેક્સીન કેવી રીતે પહોંચાડીશું તેની રૂપરેખા પણ તૈયાર છે. દેશમાં અલગ અલગ સ્થળે વિકાસની તસવીર અલગ અલગ છે. કેટલાક ક્ષેત્રો આગળ તો કેટલાક પાછળ છે. કનેક્ટિવિટીને સુધારવુ અમારી પ્રાથમિકતા છે. પૂર્વીય ભાગોમાં અપાર સંપદા છે, અહીંના લોકો સક્ષમ છે, પણ અવસરોના અભાવે પાછળ છે. તેથી અમે ત્યાં અનેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. લોકતંત્રની મજબૂત તાકાત આપણે પસંદ કરેલી સ્થાનિક સંસ્થા પર છે. 
  • એલઓસીથી એલએસી સુધી જેણે પણ આંખ ઉઠાવી, ત્યારે આપણા જવાનોએ એને એની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાની રક્ષા માટે આખો દેશ એકજોશથી ભરાયેલો છે. સામ્યર્થો પર એકજૂટતાથી આગળ વધી રહ્યો છે. દેશ શું કરી શકે છે તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું એ તમામ વીર જવાનોને લાલ કિલ્લાની પ્રાચીરથી આદરપૂર્વક નમન કરું છું. આજે દુનિયા પર ભારતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 192 માંથી 184 દેશોએ ભારતને સમર્થન આપ્યું. જે આપણને ગર્વ અપાવે છે. એ ત્યારે જ સંભવ બને છે, જ્યારે ભારત મજબૂત, સશક્ત અને સુરક્ષિત હોય. ગત કેટલાક દિવસોમાં ભારતે એક્સટેન્ડન્ટ નેબરહુડમાં તમામ દેશોના સંબંધો વધુ મજબૂત કર્યાં છે.
  • બોર્ડર વિસ્તારોના 173 જિલ્લાઓમાં આગામી દિવસોમાં બોર્ડર જિલ્લાના નવયુવાનોને એનસીસી કેડેટ્સ તરીકે તૈયાર કરાશે. બોર્ડર એરિયાના કેડેડ્સને 1 લાખ નવા એનસીસી કેડેટ્સ તૈયાર કરીશું. આ કેડેટ્સમા એક તૃતિયાંશ દીકરીઓ હોય તેવો પ્રયાસ રહેશે. બોર્ડર એરિયાના સેના દ્વારા અને કોસ્ટલને નેવી દ્વારા અને એરબેઝના કેડેટ્સ એરફોર્સ દ્વારા ટ્રેનિગ અપાશે. આ રીતે બોર્ડર પર ટ્રેઈન્ડ મેનપાવર મળશે. યુવાઓને આર્મ્ડ ફોર્સ જોડાવા નવી તક મળશે. ગત પાંચ વર્ષ આવશ્યકની પૂર્તિ માટે આને આગામી પાંચ વર્ષે આકાંક્ષાઓની પૂર્તિ માટે છે.  
  • ગત અઠવાડિયે રામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું. શાંતિપૂર્ણ સમાનધાન થયું. દેશના લોકો સંમયે અને સમાજદારી સાથે આચરણ કર્યું, તે ભવિષ્યમાં પ્રેરણાનું કારણ છે. શાંતિ અને સદભાવના આત્મનિર્ભર ભારતની તાકાત બનવાની છે. આ સદભાવ સાથે આપણે આગળ વધવાનું છે. 
  • તેમણે જુસ્સા સાથે કહ્યું કે, ભારત નવી નીતિ અને રીતિ સાથે આગળે વધશે. હવે સાધારણથી કામ નહિ ચાલે. ‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી કામ નહિ ચાલે. હવેથી આપણે સૌથી ઉપર રહેવાનો પ્રયાસ કરીશું. તેથી આપણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, શ્રેષ્ઠ
    ગર્વનન્સ, સુવિધા સાથે આગળ વધીશું. આપણી પોલિસી, પ્રોસોસ પ્રોડક્ટ્સ બધુ જ ઉત્તમથી ઉત્તમ હોય, ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે. ફરીથી સંકલ્પ લેવાની જરૂર છે. વર્ષ 2022ના આપણી આઝીદીનું 75 વર્ષનું પર્વ આવી ગયું છે. આપણે વિકાસથી માત્ર એક ડગલુ દૂર છીએ. 21મી સદી સપનાને પૂરી કરવાની બનાવવી છે. કોરોના મોટી આપદા છે, પણ એટલી મોટી નખી કે ભારતની વિજયયાત્રાને રોકી શકે. હું એક નવા સવારની લાલિમા જોઈ શકું છું. એક નવા ભારતનો શંખનાદ જોઈ શકું છું. જેથી આગળ વધી શકાય. 

લાલ કિલ્લાથી LIVE Updates :

  • જ્યાં તેઓ લાલ કિલ્લા પહોંચ્યા હતા. અહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 
  • રાજઘાટ પર પહોંચીને પીએમ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. 
  • સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓની શુભકામનાઓ પાઠવી. તથા ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટર પર શુભેચ્છાઓ મોકલી. 
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના આવાસ પર ત્રિરંગો ફરકાવ્યા બાદ કહ્યું કે, ભારત હકીકતમાં આઝાદી ત્યારે જ મળશે, જ્યારે તે આત્મનિર્ભર થશે. તેથી આજે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લેવાની જરૂર છે. 

ZEE 24 કલાક તરફથી આપ સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપણો દેશ આજે 74મું સ્વતંત્રતા પર્વ હર્ષોલ્લાસથી મનાવી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કલકત્તા સુધી દેશવાસીઓ ભારતના આઝાદી પર્વને રંગેચંગે ઘરે બેઠાં ઉજવી રહ્યા છીએ. કોરોના કાળમાં આ વખતે સંપૂર્ણ તકેદારી સાથે અને સાદગીથી 15મી ઑગસ્ટની ઉજવણી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news