શું કરણ જોહર અને નીતૂ કપૂરને પણ થયો કોરોના? જાણો સત્ય


ટ્વીટર યૂઝરે રણબીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર, રિદ્ધિમા કપૂર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તે સમાચાર શેર કર્યાં હતા. 

શું કરણ જોહર અને નીતૂ કપૂરને પણ થયો કોરોના? જાણો સત્ય

નવી દિલ્હીઃ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ વાતની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી છે. આ વચ્ચે કોઈ ટ્વીટર યૂઝરે રણબીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર અને રિદ્ધિમા કપૂર સહિત અમિતાભ બચ્ચનની ભાણીના કોોના પોઝિટિવ હોવાના સમાચાર શેર કર્યાં હતા. આ ખબરને ફેક ગણાવતા રિદ્ધિમાએ તેના સ્ક્રીનશોટ શેર કર્યાં છે. 

રિદ્ધિમા કપૂર  (Riddhima Kapoor)એ ઈન્સ્ટાગ્રામ પર લોકોને સત્ય જણાવતા લખ્યું, આ ધ્યાન ખેંચવાની વાત છે? પહેલા તપાસ કરો અને સત્યની જાણકારી મેળવો, અમે સ્વસ્થ છીએ અને સારા છીએ. અફવા ફેલાવવાનું બંધ કરો. મહત્વનું છે કે આ પોસ્ટમાં કોઈ અમિત વશિષ્ઠ નામના ટ્વીટર યૂઝરે લખ્યુ, કમ્ફર્મ્ડ રણવીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અમિતાભ બચ્ચનની ભાણી અગસ્ત્ય નંદાએ રિદ્ધિમા કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલી બર્થડે પાર્ટી અટેન્ડ કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં હતા. પરંતુ રિદ્ધિમાએ હવે આ સમાચાર પર વિરામ લગાવતા ખોટા ગણાવ્યા છે. 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

મહત્વનું એ કે એશ્વર્યા રાય બચ્ચન, જયા બચ્ચન અને આરાધ્યાનો સ્વેબ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. નાણાવટી હોસ્પિટલે બીએમસી અધિકારીઓને જાણ કરી હતી કે જયા બચ્ચન, એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચન અને અભિષેકનું સ્વાસ્થ્ય સારુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news