કોરોનાના હાહાકાર વચ્ચે શાળાઓ આજથી વિદ્યાર્થીઓ વગર ખુલશે, જાણો વિગતો

કોરોના વાયરસના કારણે હાલ ઘણું બધુ બદલાઈ ગયું છે. આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે પરંતુ શાળાઓ વિદ્યાર્થીઓ વગર જ ખુલશે. વર્ષ 2020 -21ના શૈક્ષણિક સત્રના પ્રારંભ અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે શાળાઓ ખુલશે. 
કોરોનાના હાહાકાર વચ્ચે શાળાઓ આજથી વિદ્યાર્થીઓ વગર ખુલશે, જાણો વિગતો

અતુલ તિવારી, અમદાવાદ: કોરોના વાયરસના કારણે હાલ ઘણું બધુ બદલાઈ ગયું છે. આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે પરંતુ શાળાઓ વિદ્યાર્થીઓ વગર જ ખુલશે. વર્ષ 2020 -21ના શૈક્ષણિક સત્રના પ્રારંભ અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે શાળાઓ ખુલશે. 

13 જૂન સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. ધોરણ 1 થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા, શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવા, પરિણામ તૈયાર કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.

જુઓ LIVE TV

જ્યારે 15 જૂનથી બાયસેગના માધ્યમથી ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને વિષયવાર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.કોરોના મહામારીને જોતા હાલ જરૂરિયાત મુજબના શિક્ષકો ને જ બોલાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news