રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના થયેલા કારમા પરાજય પછી પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પરાજયની જવાબદારી પોતાના માથે લઈને રાજીનામું આપી દીધું હતું અને તે પાછું ખેંચવાની પક્ષમાં ન હતા. ત્યાર પછીથી તેમને રાજી કરવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. 

રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના નિવસસ્થાને આજે સવારથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો મેળાવડો જામ્યો હતો અને બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામેલ થયા હતા. જોકે, મંગળવારે પાર્ટીના નેતાઓ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે અને તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવી દીધું છે કે, તેઓ એક મહિનાના અંદર તેમનો વિકલ્પ શોધી લે. સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીના નામનો વિચાર ન કરવા પણ જણાવ્યું છે. 

આ અગાઉ એવી માહિતી મળી હતી કે, હાલ ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની કોઈ બેઠક યોજાશે નહીં અને રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા રહેશે. જોકે, કોંગ્રેસ પાર્ટી અત્યારે રાહુલ ગાંધીના અડગ નિર્ણય અંગે 'થોભો અને રાહ જૂઓ'ની નીતિ અપનાવવા માગે છે. કોંગ્રેસની કોર ટીમને હજુ પણ આશા છે કે, રાહુલ ગાંધી માની જશે. હકીકતમાં, રાહુલ ગાંધીને પરિવારવાદના આરોપો અંગે દુખ થયું છે અને તેઓ પ્રિયંકાને પણ હવે પાર્ટીના અધ્યક્ષ પદથી દૂર રાખવા માગે છે.

સૂત્રો અનુસાર, રાહુલ ગાંધી સાથે આ નેતાઓની મુલાકાત મુખ્યત્વે રાજસ્થાન અંગે હતી, જ્યાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવાસસ્થાન 12, તુગલક રોડ પર સૌથી પહેલા પ્રિયંકા પહોંચ્યા હતા. ત્યાર પછી કે.સી. વેણુગોપાલ, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને પછી સચિન પાઈલટ પહોંચ્યા હતા. થોડા સમય પછી સુરજેવાલા અને પાઈલટ ત્યાંથી નિકળી ગયા હતા. પછી અશોક ગેહલોત પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના થયેલા કારમા પરાજય પછી પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પરાજયની જવાબદારી પોતાના માથે લઈને રાજીનામું આપી દીધું હતું અને તે પાછું ખેંચવાની પક્ષમાં ન હતા. ત્યાર પછીથી તેમને રાજી કરવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. 

શનિવારની બેઠકમાં જ CWCના નેતાઓએ એક સૂરમાં રાજીવ ગાંધીનું રાજીનામું ફગાવી દીધું હતું અને તેમને અધ્યક્ષ પદે રહેવા વિનંતી કરી હતી, સાથે જ તેમને પાર્ટીના સંગઠનમાં તેમની મરજી મુજબ ફેરફાર કરવા માટે પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. 

बुजुर्गों और हारे हुए नेताओं की फौज से 'फ्रेश आइडिया' चाहते हैं राहुल गांधी, देखिए CWC की लिस्ट

સોમવારે પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સીડબલ્યુસીની બેઠક અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવી નહીં. નિવેદનમાં જણાવાયું હતું કે, "લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન અંગે સૌની સામુહિક જવાબદારી બને છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી બનતી નથી. કોંગ્રેસ પાર્ટી મીડિયા સહિત દરેક લોકો પાસે એવી અપેક્ષા રાખે છે કે, CWCની બંધ બારણે મળેલી બેઠકની પવિત્રતા જાળવવી જોઈએ. આ બેઠક અંગે જે જાત-જાતના અનુમાન, અફવાઓ, ગપગોળા મીડિયામાં ચલાવાઈ રહ્યા છે તે અનપેક્ષિત છે."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news