આપણે એવી તોપ બનાવી કે નડાબેટથી પાકિસ્તાનને ઘરમાં મારે- પીએમ મોદી

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

આપણે એવી તોપ બનાવી કે નડાબેટથી પાકિસ્તાનને ઘરમાં મારે- પીએમ મોદી

પાટણ: ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો આજે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દેવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ આજે પાટણમાં જનસભા સંબોધી વડાપ્રધાન મોદીના સંબોધન અગાઉ ડે.સીએમ નીતિન પટેલે સભાને સંબોધન કર્યું. આ જનસભા દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણા બેઠકને આવરી લેવાના પ્રયત્નો કરાયા. 

પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો...

- પાટણની ઓળખ સાથે સંબોધનની કરી શરૂઆત.
- જીવનમાં સ્ટુડિયોમાં પહેલો ફોટો કદાચ પાટણના સ્ટુડિયોમાં પડાવ્યો હતો- મોદી- ગુજરાતનો કોઈ ખુણો એવો નહીં હોય જેની મારા મન મંદિરમાં અસર ન હોય, છાપ ન હોય અને પ્રેરક ઘટનાઓ ન હોય. આ ધરતીમાં હું જન્મ્યો, ઉત્તર ગુજરાતે મોટો કર્યો.- પીએમ મોદી
- નોટ પર એક બાજુ ગાંધી ગુજરાતના અને બીજી બાજુ રાણકી વાવ- મોદી
- જેટલો તમારો મારા પર હક એટલો મારો તમારા પર હક- મોદી- મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ જેમણે મને મોટો  કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને તેમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. એમ મારા માટે પણ વડીલ કહો તો પણ તમે અને મારા ગુરુજન કહો તો પણ તમે, મારા સાથી, ગોઠિયા પણ તમે અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય. આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારેય ટોણો મારવાનો મોકો ન રહે. - મોદી
- 23મી મેના રોજ ચૂંટણીના પરિણામ આવશે, 23મી મે ગુજરાતમાં મતદાન. ફીર એકવાર મોદી સરકાર , 26 બેઠકમાંથી આઘુ પાછું થાય તો દેશમાં ફરી ચર્ચા થશે.
- ઘરના છોકરાને સાચવવાનની જવાબદારી તમારી- પીએમ મોદી
- સરકારનો સ પણ ખબર નહતી અને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. પછી થયો બધુ શીખો...આપણે કરવાનું છે.- પીએમ
- તમે બધાએ મને ટીપી ટીપીને ઘડ્યો છે, મારી મારીને આગળ કર્યો છે. તમે જે કસોટીમાંથી મને કસીને કાઢ્યો છે તેમાંથી હું ઊણો નથી ઉતર્યો- પીએમ મોદી


- જનરલ કરિઅપ્પાને કર્યાં યાદ, મૂળ કર્ણાટકના હતાં. જે ગામમાં જન્મ્યા હતાં ત્યાના લોકોએ તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો. તેમણે કહ્યું હતું કે દુનિયામાં હું સેનાના વડા તરીકે ડગલે ને પગલે લોકો સલામ કરતા હોય, લાખોની ફોજ સલામ કરતી હોય, વિશ્વના કોઈ પણ દેશના સેનાધ્યક્ષને મળતો હોઉ તો તેઓ સન્માન કરતી હોય. માન મોભો બધુ જ મળ્યું પણ આનંદ ત્યારે જ આવ્યો કે મારા ગામના લોકોએ મને બોલાવીને મારા હાથમાં ફૂલનો ગુલદસ્તો મૂક્યો. - આજે દુનિયામાં અમેરિકાના, ચીન, રશિયાના રાષ્ટ્રપતિને મોદી મળતા હોય પરંતુ જ્યારે તમે હાથ મીલાવો તો મજા કઈક અલગ હોય. તેને ખુમારી કહેવાય. તમારી વચ્ચે મને નવી ઉર્જા, તાકાત આપે. દેશ માટે કઈંક કરવાની નિરંતર પ્રેરણા આપે. 
- આજે દેશ 5 વર્ષના ટુંકા ગાળામાં સમગ્ર દેશ જે કાઈ કરી શક્યાં તેના મૂળમાં લાંબો સમય તરીકે જે મુખ્ય મંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો, તે આજે સંપૂર્ણ દેશમાં મેં કામે લગાડ્યું. 
- આ દેશમાં આટલા વડાપ્રધાન થયા પરંતુ જેટલો સમય હું મુખ્યમંત્રી બનીને ગયો તેવો કોઈને અનુભવ નહતો. લોકો સાથે ગ્રાસરૂટ લેવલે કામ કરવાની તક મળી. જે પણ નીતિ બની તે જમીનથી જોડાયેલી બની. જેના કારણે તેને નાગરિકોની તાકાત મળી.
- 40 વર્ષ થયા... આ આતંકવાદે હિન્દુસ્તાનના લોકોના આંસુ કોઈ દિવસ સુકવા દીધા નથી. કોઈ કલ્પના કરી શકે કે મંદિરો બહાર પોલીસ મૂકવી પડે. આ દેશની 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આતંકવાદને કોણે પાળ્યો પોષ્યો? બરબાદના મૂળમાં કોણ? તમે મને આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે મોકલ્યો છે. 

જુઓ LIVE TV

- મુંબઈમાં 26/11નો કેટલો મોટો કાંડ થયો. આપણે નક્કી જ કર્યું આ ખુરશીને રહેવું હોય તો રહે... જવું હોય તો જાય, કાં હું રહીશ કાં આતંકવાદ રહેશે. અત્યારે પણ કોશિશો તો ચાલુ જ છે પરંતુ મેળ પડતો નથી. 100 પ્રયોગ કરે.. 99માં નિષ્ફળ જાય અને એકમાં સફળ થાય. - આપણે એવા પ્રયત્નો કર્યાં કે હવે આ બોમ્બ ધડાકા કરનારી ગેંગ જમ્મુ અને કાશ્મીરના અઢી જિલ્લામાં સિમિત થઈ ગઈ છે.- મોદી
- પુલવામા થયું ત્યારે તમે જ કહો કે આ દેશને મોદી પાસે શું અપેક્ષા હતી? 26/11 વખતે મનમોહનસિંહની સરકારે જે કર્યું તે મેં કર્યું હોત તો ચાલત? આખો દેશ ઈચ્છા કરતો હતો અને મેં પહેલા જ દિવસે કહ્યું કે મે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. 
- પુલવામા બાદ પાકિસ્તાને બધી તૈયારી કરી હતી કે મોદી અહીંથી આવશે  ગુજરાતથી આવશે. પરંતુ આજે શરદ પવારે કહ્યું છે કે મોદી શું કરે તે ખબર જ નડે. જો શરદ પવારને ખબર ન  પડતી હોય તો ઈમરાન ખાનને ક્યાંથી ખબર પડે. આપણે તો હનુમાનજીના ભગત. આપણા લોકોએ એરસ્ટ્રાઈક કરી અને ખેલ ખતમ...
-આજે હિન્દુસ્તાનમાં ત્રણ મોટા મોટા કારખાના તોપ બનાવી રહ્યાં છે અને એક આપણા ગુજરાતના હજીરામાં છે. એવી તોપો બનાવી છે કે નડાબેટમાં આપણી ટેન્ક ઊભી હોય તો 48 કિમી દૂર પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે. 
- અમેઠીમાં આપણે એકે 47 કરતા પણ આધુનિક રાઈફલો બનાવવાનું શરૂ. બહારથી આપણે લાવવાની નહીં જરૂર પડે. ઉલ્ટું દુનિયાને વેચીશું. 

LIVE: પાટણ જનસભામાં વિશાળ જનમેદની, થોડીવારમાં વડાપ્રધાનનું થશે આગમન

સીએમ રૂપાણી નાદુરસ્ત તબિયતના કારણે સભામાં નહીં રહે હાજર
પીએમ મોદીની આજે પાટણમાં સભા છે. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે પીએમ મોદીની આ સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સભામાં હાજર રહેશે નહીં. નાદુરસ્ત તબિયતના કારણે પાટણ પ્રવાસ રદ કરાયો છે. 

પીએમ મોદીની આજે 3 જનસભાઓ, એક ગુજરાતમાં
વડાપ્રધાન મોદી આજે ત્રીજા તબક્કાના મતદાનના પ્રચારના છેલ્લા દિવસે ગુજરાતમાં પણ સભા સંબોધિત કરવાના છે. સવારે 10.30 વાગે પાટણ, બપોરે 1.45 વાગે રાજસ્થાનના ચિત્તોડગઢ અને સાંજે 4.30 કલાકે રાજસ્થાનના જ બાડમેરમાં સભા સંબોધિત કરવાના છે. 

અમિત શાહનો રોડ શો
પ્રચારના આજે છેલ્લા દિવસે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે 9 કલાકે ઘાટલોડિયા વિસ્તારમાં જનસંવાદ યોજશે, ત્યારબાદ બોડકદેવ અને થલતેજ વોડમાં 10 કલાકે જનસંવાદ યોજશે. સવારે 11 કલાકે વેજલપુર અને સરખેજ વોર્ડમાં જનસંવાદ યોજશે. છેલ્લે બપોરે 12 કલાકે સાણંદમાં એપીએમસીથી ગઢિયા ક્રોસ રોડ સુધી રોડ શો યોજશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news