એક સમય હતો જ્યારે ભારતના નેતાઓ રડતા જોવા મળતા, આજે પાકિસ્તાન રડે છે: PM મોદી 

લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચારમાં છે. આજે યુપીના પ્રતાપગઢ બાદ હવે બસ્તીમાં રેલીને સંબોધી.  સંબોધનમાં તેમણે સપા, બસપા અને કોંગ્રેસને બરાબર આડે હાથ લીધા. તેમણે કહ્યું કે મહામિલાવટી લોકો અત્યારે જે રીતે પહેલા તમે પહેલા તમે વાળા લખનવી મિજાજથી વાત કરે છે તેઓ 23મી મે બાદ પરસ્પર જ લડશે. તેઓ એકબીજાના ગળા કાપવાનો ખેલ ખેલી રહ્યાં છે. 23મી મે બાદ કહેશે તમે કોણ, તમે કોણ.
એક સમય હતો જ્યારે ભારતના નેતાઓ રડતા જોવા મળતા, આજે પાકિસ્તાન રડે છે: PM મોદી 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચારમાં છે. આજે યુપીના પ્રતાપગઢ બાદ હવે બસ્તીમાં રેલીને સંબોધી.  સંબોધનમાં તેમણે સપા, બસપા અને કોંગ્રેસને બરાબર આડે હાથ લીધા. તેમણે કહ્યું કે મહામિલાવટી લોકો અત્યારે જે રીતે પહેલા તમે પહેલા તમે વાળા લખનવી મિજાજથી વાત કરે છે તેઓ 23મી મે બાદ પરસ્પર જ લડશે. તેઓ એકબીજાના ગળા કાપવાનો ખેલ ખેલી રહ્યાં છે. 23મી મે બાદ કહેશે તમે કોણ, તમે કોણ.

પીએમ મોદીએ કહ્યું કે અમારી તો કાર્ય સંસ્કૃતિ જ લક્ષ્ય નક્કી કરવાની અને તેને પૂરા કરવાની છે. મહામિલાવટી ગઠબંધન અને એનડીએની કાર્ય સંસ્કૃતિ એકબીજાથી ખુબ અલગ છે. અમે સરકારને દિલ્હીથી બહાર લઈ જવા માંગીએ છીએ, જ્યારે મહામિલાવટી લોકો પદની લાલચમાં દિલ્હી આવવા માટે આતુર છે. તેમણે કહ્યું કે જે 8 સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે તેઓ પણ વડાપ્રધાન પદના શપથ લેવા માટે તૈયાર થઈ ગયા છે. જે 20 સીટો પર ચૂંટણી લડે છે તેમના મોંઢામાં પાણી છૂટી રહ્યું છે. જે 40 બેઠકો પર ચૂંટણી લડે છે તેમણે તો કપડાં પણ સીવડાવવા માટે આપી દીધા છે. 

તેમણે કહ્યું કે પાકિસ્તાનની કરતૂતો પર પહેલા આપણી સરકાર રડતી હતી. તેમને દેશના દુશ્મનો કરતા વધુ પોતાના વોટબેંકની ચિંતા રહેતી હતી. તે પણ એક સમય હતો કે હિન્દુસ્તાનના નેતાઓ રડતા જોવા મળતા હતાં અને અત્યારે સમય એવો છે કે પાકિસ્તાન રડી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ ભારતને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા મળી છે. અનેક ભારતીયો અને આપણા જવાનોનું લોહી વહાવનારા મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે, 'સત્તાના સિદ્ધાંતોને કેવી રીતે પગ નીચે કચડી નાખવામાં આવે છે તેનું સપા, બસપા અને કોંગ્રેસ સૌથી મોટા ઉદાહરણ છે. આ ત્રણેયને વોટ બેંક ગણિતની એવી ખરાબ લત લાગી છે કે તેઓ માણસને પણ એક માત્ર ગણતરી અને મત ગણે છે.' પીએમ મોદીએ કહ્યું કે વિકાસને ધ્યાનમાં રાખીને તમે જે મજબુત સરકાર દિલ્હીમાં બનાવી હતી, તેણે પૂરેપૂરી મજબુતીથી કામ કર્યું છે. આજે તમારો આ સેવક જ્યારે દુનિયાના મંચો પર જાય છે તો 130 કરોડ ભારતીયોની શક્તિનો અહેસાસ થાય છે. 

પીએમ મોદીએ બસપા પ્રમુખ માયાવતી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બહેનજીએ ટ્વીટ કરી કે તેમની સરકાર દરમિયાન હિંસક ઘટનાઓ ઓછી હતી. હું તેમની પોલ તમારી સામે ખોલું છું. 23મી મે 2007ના રોજ ગોરખપુરમાં બોમ્બ વિસ્ફોટ થયા હતાં ત્યારે કઈ સરકાર હતી? 2008માં રામપુરના સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો ત્યારે કોની સરકાર હતી? 2010માં કાશીમાં દશાશ્વમેઘ ઘાટ પર જે બોમ્બ ફાટ્યો હતો ત્યારે કોની સરકાર હતી? તેમણે વધુમાં કહ્યું કે બહેનજી સત્તા માટે તમે નિર્દોષોનું લોહીના તે નિશાન ભૂલી શકો છો, પરંતુ ઉત્તર પ્રદેશની જનતા તે ભૂલી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news