PM મોદીનો 'શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યુ', જૂઓ ZEE News પર આજે રાત્રે 8 કલાકે

લોકસભા ચૂંટણી 2019ના પરિણામથી બરાબર 15 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝી ન્યૂઝ (Zee News)ને એક વિશેષ ઈન્ટરવ્યૂ આપ્યો છે
 

PM મોદીનો 'શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યુ', જૂઓ ZEE News પર આજે રાત્રે 8 કલાકે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામથી બરાબર 15 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝી ન્યૂઝ (Zee News)ને એક વિશેષ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે આ શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ દાવો કર્યો કે, 23 મેના રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014 કરતાં વધારે બેઠકો મલશે. આ સમગ્ર ઈન્ટરવ્યૂ તમે ઝી ન્યૂઝ પર આજે રાત્રે 8.00 કલાકે જોઈ શકશો. 

વડાપ્રધાને જણાવ્યું કે, મોદી લહેરથી બચવા માટે જ વિરોધ પક્ષો એક-બીજાનો હાથ પકડી રહ્યા છે, જેથી તેઓ ઊડી ન જાય. મમતા બેનરજી દ્વારા પીએમ મોદીને વડાપ્રધાન ન માનવા અંગે તેમણે જણાવ્યું કે, આ એક બંધારણીય ખતરો છે કે મમતા બેનર્જી પાકિસ્તાનના વડાપ્રધાનને તો માને છે, પરંતુ ભારતના વડાપ્રધાનને પીએમ માનતા નથી. આ તેમની બંધારણ પર અવિશ્વાસની અભિવ્યક્તી છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોના સવાલ અંગે પીએમએ જણાવ્યું કે, ચીફ જસ્ટિસ પર જે પ્રકારે હુમલો થયો તે ખતરનાક છે. આ દરમિયાન ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી દ્વારા પીએમ મોદીને અનેક સવાલ પુછવામાં આવ્યા છે. જેનો તેમણે અત્યંત સ્પષ્ટ જવાબ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યૂ તમે આજે રાત્રે 8.00 કલાકે ઝી ન્યૂઝ (ZEE News) પર જોઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news