કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત

કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે રાજકોટ પહોંચ્યા છે. પાંચ મહિના બાદ સીએમ રૂપાણી રાજકોટ (Rajkot) પધાર્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક શરૂ થઈ છે. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો (Corona virus) અને મૃત્યુઆંક ચિંતાજનક છે. 

કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત

સત્યમ હંસોરા/રાજકોટ :કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે રાજકોટ પહોંચ્યા છે. પાંચ મહિના બાદ સીએમ રૂપાણી રાજકોટ (Rajkot) પધાર્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક શરૂ થઈ છે. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો (Corona virus) અને મૃત્યુઆંક ચિંતાજનક છે. 

ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું

મુખ્યમંત્રીની મુલાકાત પહેલા 9 દર્દીના મોત
મુખ્યમંત્રી આગમન પહેલા જ રાજકોટની અંદર 9 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ચાર અને ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના બાદ મોરબી અને વઢવાણના દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. સવારે સાત વાગ્યા બાદ વધુ બે દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. આમ, મુખ્યમંત્રીના આગમન પહેલા 9 દર્દીના કોરાનાથી મોત નિપજ્યાં છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ આંકડો અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે રાજકોટ અને વડોદરાની મુલાકાતે છે, જેને પગલે આજે કેબિનેટ બેઠક નહિ યોજાય. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે એક દિવસીય રાજકોટ અને વડોદરાની મુલાકાત લેવાના છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાની ચિંતા કરી મુખ્યમંત્રીએ આ મુલાકાત ગોઠવી છે. જેમાં તેઓ રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાશે. રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથેની આ બેઠક અને મુલાકાતમાં જોડાશે. સવારે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજાશે અને 3:00 વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news