ભાજપના એક નેતાના વિવાદિત બોલ, પૂર્વ પીએમ રાજીવ ગાંધી માટે ન બોલવાના શબ્દ કહ્યા

પ્રિયંકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન કહ્યા પછી ભાજપના એક નેતા જીતુ જરાતીએ કહ્યું કે, 'પ્રિયંકા ગાંધી પીએમ મોદીને દુર્યોધન કહી રહી છે, જ્યારે તેના પિતા રાવણ હતા, જેમણે દેશને વેચવાનું કામ કર્યું છે'
 

ભાજપના એક નેતાના વિવાદિત બોલ, પૂર્વ પીએમ રાજીવ ગાંધી માટે ન બોલવાના શબ્દ કહ્યા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાનું બંધ નથી થઈ રહ્યું. હવે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન કહ્યા પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ જિરાતી પણ કૂદી પડ્યા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 'રાવણ' કહ્યા છે અને કહ્યું છે કે તેમણે દેશને વેચી નાખ્યો છે. જીતુ જિરાતીના આ નિવેદન સમયે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પણ હાજર હતાં. 

જિરાતી ઈન્દોરમાં એક ચૂંટણી સભામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, "પ્રિયંકા ગાંધી પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી રહી છે, પરંતુ તેમના પિતા તો રાવણ હતા, જેમણે દેશ વેચવાનું કામ કર્યું છે."

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઉત્તરપ્રદેશની એક રેલીમાં જણાવ્યું હતું કે, "તેમના પિતા રાજીવ ગાંધીનું જીવન એક નંબરના ભ્રષ્ટ નેતા તરીકે સમાપ્ત થયું છે."

પીએમ દ્વારા રાજીવ ગાંધી પર ટિપ્પણી કરાયા પછી પ્રિયંકા ગાંધીએ હરિયાણાની એક રેલીમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, "પીએમ મોદી દુર્યોધનની જેમ અભિમાની થઈ ગયા છે. ભગવાન કૃષ્ણ જ્યારે દુર્યોધનને સમજાવા ગયા હતા તો તેમને બંદી બનાવાનો પ્રયાસ કર્યો હતો અને પછી શું થયું હતું એ સૌ જાણે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news