મસૂદ અઝહરને આતંકી જાહેર કરાતા કોંગ્રેસ પરેશાન છે: પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. અહીં તેમની હિડોન, સીકર અને બીકાનેરમાં ચૂંટણી સભા છે. આજે તેમણે પોતાની ચૂંટણી સભાની શરૂઆત રાજસ્થાનના કરૌલીથી કરી. જનતાને સંબોધિત કરતા અગાઉ સૌથી પહેલા તેમણે ફાની ચક્રવાત અંગે વાત કરી અને લોકોને જણાવ્યું કે એક બાજુ આપણે અહીં ઊભા છીએ અને કેટલાક રાજ્યો ફાની ચક્રવાત સામે ઝઝૂમી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે અને ચક્રવાત સંબંધિત જાણકારીઓ ભેગી કરી રહી છે. 
મસૂદ અઝહરને આતંકી જાહેર કરાતા કોંગ્રેસ પરેશાન છે: પીએમ મોદી 

કરૌલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. અહીં તેમની હિડોન, સીકર અને બીકાનેરમાં ચૂંટણી સભા છે. આજે તેમણે પોતાની ચૂંટણી સભાની શરૂઆત રાજસ્થાનના કરૌલીથી કરી. જનતાને સંબોધિત કરતા અગાઉ સૌથી પહેલા તેમણે ફાની ચક્રવાત અંગે વાત કરી અને લોકોને જણાવ્યું કે એક બાજુ આપણે અહીં ઊભા છીએ અને કેટલાક રાજ્યો ફાની ચક્રવાત સામે ઝઝૂમી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે અને ચક્રવાત સંબંધિત જાણકારીઓ ભેગી કરી રહી છે. 

પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા સમગ્ર દેશે, રાજસ્થાને એક ભરોસા સાથે પોતના આ સેવકને દેશ માટે કામ કરવાની તક આપી હતી. રાષ્ટ્રવાદથી ઓત પ્રોત આ માટીના એક એક વ્યક્તિએ એમ વિચારીને કે દુનિયામાં ભારતની ધાક વધે એટલે તમામ બેઠકો ભાજપને આપી હતી.

તેમણે કહ્યું કે આજે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. બે દિવસ અગાઉ જ ભારતના મોટા દુશ્મન મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો. પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓનો આ આકા વર્ષોથી ભારતને ઘા પર ઘા આપી રહ્યો હતો. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને આતંકીઓના મનસૂબા પર આ ત્રીજી મોટી સ્ટ્રાઈક થઈ છે. હવે તમે જ જણાવો કે પાકિસ્તાનની ડંફાશ નીકળી ગઈ કે નહી? આતંકીઓ અને આતંકીઓને પહોંચી વળવાના કોંગ્રેસના તરીકા તથા ભાજપની રીતની સરખામણી થઈ શકે નહીં. યાદ કરો કે કોંગ્રેસ કહેતી હતી કે દરેક આતંકી હુમલાને રોકવો એ શક્ય નથી. 

કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો આતંકી હુમલા રોજની વાત હતી. કોઈ પણ શહેર કોંગ્રેસના કાર્યકાળમાં સુરક્ષિત નહતો. 2008માં મુંબઈમાં આતંકીઓએ હુમલો કર્યો. જો ફક્ત 2008ની વાત કરીએ તો તે ન તો પહેલો આતંકી હુમલો હતો અને ન તો છેલ્લો. 

તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં સુરક્ષાની વધુ સારી સ્થિતિ કોંગ્રેસને ગમતી નથી. મસૂદ અઝહર પર થયેલા નિર્ણય અંગે ખુશી મનાવવાની જગ્યાએ, કોંગ્રેસ પોાતાની મજાક ઉડાવવામાં લાગી છે. કોંગ્રેસ હવે સવાલ ઉઠાવી રહી છે કે મસૂદ અઝહરને ચૂંટણી સમયે જ કેમ આતંકી જાહેર કરાયો. તેમણે કહ્યું કે, "આ જે તમારા મતની તાકાત છે જેણે રાજસ્થાનમાં મોદીને 25માંથી 25 બેઠકો આપી, તેની તાકાત છે કે મોદી મુકાબલો કરે છે. તમે મારી સાથે ન હોત, રાજસ્થાનની વીર ભૂમિ ન હોત, રાજસ્થાનની માતાઓના આશીર્વાદ ન હોત તો કોંગ્રેસ અને મારામાં ફરક શું હોત".

તેમણે કહ્યું કે કોંગ્રેસવાળાને પરેશાની છે કે ચૂંટણી ચાલી રહી છે અને અબુધાબી, યુએઈ મોદીને એવોર્ડ આપે છે. કોંગ્રેસને પરેશાની છે કે ચૂંટણી ચાલી રહી છે અને રશિયા મોદીને એવોર્ડ આપે છે. કોંગ્રેસને પરેશાની છે કે ચૂંટણી ચાલે છે અને અમેરિકામાં બેઠેલું યુનાઈટેડ નેશન તથા દુનિયાના અન્ય દેશો મળીને મસૂદને આતંકી જાહેર કરી રહ્યાં છે. 

વડાપ્રધાને કહ્યું કે, "જ્યારે ભારત અંતરિક્ષમાં સેટેલાઈટને તોડી પાડનારું મિસાઈલ પરીક્ષણ કરે છે તો પણ કોંગ્રેસ કહે છે કે આ તો મોદીએ પોતાના ફાયદા માટે કરાવ્યું. જ્યારે આ પરીક્ષણ બાદ દુનિયા ભારત પર પ્રતિબંધ નથી લગાવતી પરંતુ  ભારતનું સમર્થન કરે છે તો કોંગ્રેસ કહે છે કે આ બધુ મોદીએ મેનેજ કરી લીધુ."

જુઓ LIVE TV 

આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે કારોબારની રેંકિંગમાં ભારત મોટી છલાંગ લગાવે છે તો ત્યારે પણ કોંગ્રેસી કહે છે કે મોદીએ વિશ્વબેંકની સંસ્થાઓને પણ ખરીદી લીધી. કોંગ્રેસવાળાઓને આખો દિવસ અને રાત એ જ દેખાય છે કે મોદી કેટલો શક્તિશાળી છે. તેમણે કહ્યું કે મારો દેશ ભૂલને માફ કરી શકે છે પરંતુ રાજસ્થાનની આ ધરતી વિશ્વાસઘાતને માફ કરી શકે નહીં. કોંગ્રેસના આ અન્યાયને ખતમ કરવા માટે તમારે દરેક સીટ માટે ભાજપને મત આપવાનો છે. 

પાણીની સમસ્યાની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે અહીં જે પાણીની સમસ્યા છે તેને દૂર કરવા માટે અમે નક્કી કર્યું છે અને સંકલ્પ પત્રમાં તેની જાહેરાત પણ કરી છે કે અમે પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું. તેના માધ્યમથી દેશની નદીઓનો સદઉપયોગ, વરસાદના પાણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય અને પાણી ઘરે ઘરે કેવી રીતે પહોંચે તે માટે એક અલગ મંત્રાલય બનશે અને હિન્દુસ્તાનમાં આ કામ પહેલીવાર થશે. 

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિ નકારાત્મક છે, નેતૃત્વમાં ભ્રમ છે, અને નીયતમાં અપ્રમાણિકતા છે. વીરોની આ ધરતી પર હું તમને ફરીથી યાદ અપાવીશ કે કોંગ્રેસે વન રેન્ક વન પેન્શનના નામે કેવો દગો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news