અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં 228 ખાનગી ક્લિનિક-હોસ્પિટલ ખૂલ્યાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.

અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.

ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ મોકલાઈ 
અમદાવાદમાં ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ શરૂ નહિ કરનાર 228 તબીબો- હોસ્પિટલોને નોટિસ અપાઇ છે. ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલો, નર્સિગ હોમ અને ક્લિનિકને ચાલુ કરવા કરેલી તાકીદના સંદર્ભમાં આ હુકમનું ઉલ્લંધન કરનાર 228 ક્લિનિક હોસ્પિટલને આજે નોટિસ આપવામાં આવી છે. આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ - કોવિડ કેર સેન્ટર કે હોમ આઇસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે. આ અંગે આ આવા ડોક્ટરોએ કે હોસ્પિટલોએ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરવાનો રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવા ડોક્ટરોને જે તે વિસ્તારમાં આ સેવામાં જોડવા સૂચના આપશે. જોકે, બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, 65 વર્ષથી વધુ વય ધરાવતા તબીબો અને તેમના ક્લિનિકને ફરજિયાત શરૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

અમદાવાદની જેમ હવે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલો તબીબોએ પોતાના ક્લિનિકો 48 કલાકમાં ચાલુ કરવા પડશે. જો આમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબ પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાંધીનગરના મેયર રીટા પટેલ દ્વારા ઈન્ડીયન મેડિકલ એસોસિએશન, ગાંધીનગરને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ ગાંધીનગરના નગરજનોની સેવા માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોને શરૂ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. 

Amcએ ખાનગી તબીબોને ક્લિનિક ખોલવા નોટિસ આપી હતી. શહેરના હોસ્પિટલ-નર્સિંગ એસોસિએશને amc સામે આ મામલે વિવિધ શરતો મૂકી છે. જેમાં સ્ટાફની ટ્રાન્સપોર્ટ સુવિધા, સોશિયલ ડિસ્ટન્સિંગ, ઉપકરણો રીપેરીંગની માંગ, સ્ટાફ માટે ભોજન સુવિધા, નાની ક્લિનિક બહાર શેડ ઉભાં કરવાની માંગ, ક્લિનિક સાથે સંકળાયેલી આનુષંગિક દુકાનો ખોલવાની મંજૂરીની માંગ AMC સામે કરવામાં આવી છે. જેના બાદ જ તેઓ હોસ્પિટલ ખોલશે તેવુ જણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news