માયાવતીનો BJP પર આરોપ, 'ષડયંત્ર હેઠળ બનાવવામાં આવી છે ભીમ આર્મી'

લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ જ કડીમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ અને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.

માયાવતીનો BJP પર આરોપ, 'ષડયંત્ર હેઠળ બનાવવામાં આવી છે ભીમ આર્મી'

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ જ કડીમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ અને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ચંદ્રશેખર આઝાદ વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે તેને તેમણે ભાજપનું કાવતરું ગણાવ્યું. તેમણે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કરીને આ વાત કરી. 

માયાવતીએ લખ્યું કે ભાજપે ષડયંત્ર હેઠળ ભીમ આર્મી બનાવડાવી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે દલિત મતોને વહેંચવા માટે ભીમ આર્મી ભારતીય જનતા પાર્ટીએ જ બનાવડાવી છે. 

Mayawati did tweet and say, Bhim Army has been created under conspiracy

આ મામલે માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે દલિતોના મતો વહેંચીને ભાજપને ફાયદો પહોંચાડવા માટે જ ભાજપ ભીમ આર્મીના ચંદ્રશેખરને વારાણસીથી લોકસભા ચૂંટણી લડાવી રહી છે. આ સંગઠન ભાજપે જ ષડયંત્ર રચીને બનાવડાવ્યું છે અને તેની આડમાં પણ પોતાની દલિત વિરોધી માનસિકતાવાળું રાજકારણ રમી રહ્યો છે. 

ત્યારબાદ અન્ય એક ટ્વિટ કરીને લખ્યું કે ભાજપે જાસૂસી કરવા માટે પહેલા ચંદ્રશેખરને બીએસપીમાં મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનું આ ષડયંત્ર નિષ્ફળ ગયું. અહંકારી, નિરંકુશ અને ઘોર જાતિવાદી તથા સાંપ્રદાયિક ભજાપને સત્તા પરથી હટાવવા માટે તમારો એક એક મત ખુબ કિંમતી છે. આથી તેને કોઈ પણ સંજોગોમાં બરબાદ ન થવા દો. 

Mayawati did tweet and say, Bhim Army has been created under conspiracy

અત્રે જણાવવાનું કે હાલમાં જ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news