ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ લાવી શકે છે

રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ

ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ લાવી શકે છે

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ
ચાલુ હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ સાથે ભાજપ પક્ષને પણ મોટો ઝટકો લાગ્યો છે. 

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ અરજી પણ ફગાવવાની માંગ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી, પરંતુ આખરે આ ચુકાદો તેમના તરફી આવ્યો ન હતો. ત્યારે હવે જો પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટમાં આ અપીલ કરવામાં આવે તો સુપ્રિમ કોર્ટ શુ ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે. તો બીજી તરફ, કોંગ્રેસ પક્ષ માટે આ એક ખુશીના સમાચાર બની રહ્યા હતા. આ કાયદાકીય લડાઈ અરજી કરનાર અશ્વિન રાઠોડની એકલાની નહિ, પરંતુ કોંગ્રેસ પક્ષની પણ લડાઈ હતી. તેથી કોંગ્રેસ માટે આ નિર્ણય મોટો નિર્ણય સાબિત થયો છે.  

આ ચુકાદાથી રૂપાણી સરકાર પર વધુ એક રાજકીય પડકાર સામે આવ્યો છે. કોરોનાની મહામારી બાદ ચુડાસમાનો ચુકાદો. ત્યારે દિલ્હી સુધી આ ચુકાદાના પડઘા પડે તો નવાઈ નહિ. તો સાથે જ આ ચુકાદો કોંગ્રે માટે સંજીવની સમા ચુકાદો સાબિત થાય તો નવાઈ નહિ. આમ, જે ચૂંટણીથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધારાસભ્ય બન્યા, તે હાઈકોર્ટ દ્વારા રદ કરાઈ છે.  

શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news